આરબીઆઇની મોનેટરી પોલિસી અંગેની બેઠકનું આયોજન એટલે કે આજના દિવસે કરવામાં આવ્યું હતું પરંતુ સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરની વિદાય થતા આ બેઠક એક દિવસ મોડી એટલે કે આવતીકાલે યોજાશે. આ બેઠકમાં મુખ્યત્વે સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રિવર્સ રેપોરેટ સહિતના વિવિધ મુદ્દે ચર્ચા અને વિચારણા કરવામાં આવશે. આ ઉપરાંત અર્થવ્યવસ્થાને ઝડપી અને વધુમાં વધુ સુરક્ષિત બનાવવાના પગલાઓ અંગે પણ ચર્ચા કરાશે.
બેઠકમાં જે નિર્ણય લેવાશે તે અંગેની માહિતી 10 ફેબ્રુઆરીએ રજૂ થશે. આ બેઠકમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બજેટ સહિતની વિવિધ મુદ્દે ચર્ચા હાથ ધરવામાં આવે તેવી શક્યતા જાણકારોએ વ્યક્ત કરી છે એટલું જ નહીં રિવર્સ રેપોરેટ સહિતના વ્યાજદરમાં પણ બદલાવ લાવવા આરબીઆઈ દ્વારા ચર્ચા અને વિચારણા થશે. એટલું જ નહીં આ બેઠકમાં તરલતા ને કાબુમાં લેવા માટેના પણ નિર્ણય લેવામાં આવશે હાલના તબક્કે ઘણા પ્રશ્નો છે તરલતાને લઈ ઊભા થઈ રહ્યા છે તેને કેવી રીતે નિયંત્રણમાં રાખી શકાય આ તમામ મુદ્દે ગંભીર ચર્ચા પણ હાથ ધરાશે.
બજેટમાં સરકાર દ્વારા જે રીતે ઉદ્યોગ ક્ષેત્ર અને વિકસિત કરવા માટેના જે વિવિધ પ્રયત્નો થયા છે તેને ધ્યાને લઇ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા કયા પ્રકારના પગલા ભરશે તે અંગે પણ ચર્ચા થઈ રહી છે ત્યારે મોનેટરી પોલિસી કમિટીમાં આ તમામ મુદ્દાઓને લઇ ગંભીરતાપૂર્વક વિચારણા કરવામાં આવશે અને તે અંગેના નિર્ણય પણ લેવાશે જેની માહિતી 10 ફેબ્રુઆરીએ મળશે.