ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડ એ કાર્યક્રમ ગૌરવ અપાવનાર ગુજરાતીઓને વધાવવાનો અવસર છે. દર વર્ષની આ ભવ્ય પરંપરા ગુજરાત દિવસ પર ઉજવાય છે. ઉત્તર અમેરિકા અને ભારત ફાઉન્ડેશન (NAI) અને નોલેજ પ્લસ ફાઉન્ડેશન (KPF ) અને ICSW દ્વારા ગુજરાત ગૌરવ રત્ન પુરસ્કારો ગુજરાત દિવસ-2023 નિમિત્તે ઉત્કૃષ્ટ ગુજરાતીઓને એનાયત કરાયા હતા.
ગુજરાત દિવસની ઉજવણી નિમિત્તે તા. ૧ લી ને ૨૦૨૩ ના રોજ NAI, KPF અને ISCW દ્વારા અમદાવાદ ખાતે યોજાયેલ એક સમારંભમાં રાજ્યના સૌથી પ્રતિષ્ઠિત સન્માન તરીકે ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડ કલા, શિક્ષણ, સામાજિક કાર્ય, રમતગમત, તબીબી અને ફિલ્મો અને બ્રહ્માંડ વિજ્ઞાન અને સંસ્કૃતિ અને નૃત્ય ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાન બદલ ૨૦ લોકોને એનાયત કરવામાં આવ્યા હતા. સુરતના રૂપીન પચ્ચીગરને પણ ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડ ૨૦૨૩ થી સન્માનીત કરવામાં આવ્યા હતા.
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશના ઓડિટોરીયમમાં આયોજીત એવોર્ડ સમારોહમાં ગુજરાત હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ કે.એ.પુજ, રાજ્યસભાના સાંસદ નરહરી અમીન, ધર્મગુરુ સ્વામિની ધન્યાનંદજી સરસ્વતી, ધર્મગુરુ ભૂપેન્દ્ર પંડ્યા અને વિશ્વવિખ્યાત મેનેજમેન્ટ ગુરુ ડૉ. શૈલેષ ઠાકરના હસ્તે એવોર્ડ એનાયત થયા.
શિક્ષણક્ષેત્રે રૂપીન પચ્ચીગર દ્વારા ૨૦૦૬ થી ૨૦૧૧ સુઘી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના અધ્યક્ષ, ૨૦૦૭ થી ૨૦૦૯ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષ, ૧૯૮૬ થી ૧૯૯૨ ધી વેસ્ટર્ન ઈન્ડિયા રિજીયન ઓફ ઈન્સ્ટિટયૂટ ઓફ સીએના કાઉન્સિલ મેમ્બર, ખજાનચી, વાઈસ ચેરમેન અને સુરત બ્રાન્ચ ઓફ સીએના ચેરમેન.તરીકે સેવા આપી છે. એ ઉપરાંત રાષ્ટ્રીય ક્લા કેન્દ્રના મહામંત્રી તરીકે નાટક, સાહિત્ય, ચિત્રકળા અને સંગીતની પ્રવૃત્તિઓને જીવંત રાખી છે.
રૂપીન પચ્ચીગર દ્વારા શરૂ કરવામાં આવેલ “મુજે ભી કુછ કહેના હૈ” હિન્દી યુટયુબ ચેનલ દ્વારા જીવન, વ્યક્તિત્વ વિકાસ અને સમાજના વિષયોને ઉજાગર કરતા પ્રવચનો દ્વારા એમણે સામાજીક કેળવણી આપવાનું કાર્ય કર્યુ છે.
ગુજરાત ગૌરવ રત્ન પુરસ્કાર 2023 ના પ્રાપ્ત કર્તાઓમાં ડો. ભરત ભગત (આરોગ્ય), રૂપીન પચ્ચીગર (શિક્ષણ), વૈશલ શાહ (ફિલ્મ્સ) ડો. વી.એન. શાહ (સ્વાસ્થ્ય સંભાળ), ડો. પંકજ જોશી (કોસ્મોલોજી), મલ્હાર ઠાકર (કલા), દિનેશભાઈ પટોળાવાલા (સંસ્કૃતિ) હરપાલ વાલા (બેબી કેર), ભાવિના પટેલ (રમતગમત), વિજય જૈન (ઉદ્યોગ) ઓસ્માન મીર (કલા), રાજભા ગઢવી (કલા), કુમુદિની લાખિયા (નૃત્ય), ડો. નરેન્દ્ર ઘેલાણી (હેલ્થકેર), ભૂપેશ એસ. પટેલ (વ્યવસાય) માયાભાઈ આહીર (કલા), જીનલ બેલાણી (કલા), મનન ચોક્સી અને યજ્ઞેશ પંડ્યાનો સમાવેશ થાય છે.