આ વર્ષે શિવરાત્રીનો મહા પર્વ 18 ફેબ્રુઆરીને શનિવારે ઉજવવામાં આવશે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાનના લગ્ન દેવી પાર્વતી સાથે થયા હતા. જે પણ ભક્ત મહાશિવરાત્રી પર સાચા મનથી ભોલેનાથની પૂજા કરે છે, તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. સુરતમાં કતારગામ સ્થિત કાંતારેશ્વર મહાદેવ મંદિર ગુજરાતના સૌથી પૌરાણિક શિવ મંદિરો પૈકીનું એક છે. આશરે 1500 વર્ષ પૂર્વે સ્વંયભૂ પ્રગટ તેવા કાંતારેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ચૂકી છે.
શ્રી કાંતારેશ્વર મહાદેવના મંદિરમાં શ્રી પાર્વતી માતાના સ્થાનક તથા મંદિરનો જીણોદ્ધાર થયો તે પછી દિવાલો પર જે માર્બલ જડીત છે તેનું મીટર તથા સોના સ્વરૂપનું પોલિશ વગેરે શરૂ કરવામાં આવ્યું છે. સ્વચ્છતા અને સુંદરતાને વધારતાં સાથે શ્રી કાંતારેશ્વર મહાદેવદાદાના પાવન પર્વ મહાશિવરાત્રીના નિમિત્તે ભવ્ય તૈયારીઓમાં મંદિરના હર્તાકર્તાઓ સપરિવાર તેમજ સેવાભાવી ભક્તો સાથે વ્યસ્ત છે.
આશરે 1500 વર્ષ પહેલા સ્વંય પ્રગટ તેવા શ્રી કાંતારેશ્વર મહાદેવ મંદિરમાં આ વર્ષે મહાશિવરાત્રીના અવસરે સૂર્ય કાંતારેશ્વર મહાદેવ દાદાના નામથી ને સાથોસાથ ભવ્યાતિભવ્ય મહાદેવો સહિત રંગોળી તથા અન્ય દ્રવ્યો સાથે અલંકારીત શણગાર કરવા સૌ ભક્તો ઉત્સાહિત છે.
આરતી સાથે ભક્તો માટે પંચદેવ સહિતના શ્રી કાંતારેશ્વર મહાદેવદાદાના મહાશિવરાત્રી પર્વના દર્શન 19મીએ સવારે 6.30 કલાકે દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકાશે. ત્યારબાદ શ્રી કાંતારેશ્વર દાદાની ધજાનું પુજા સવારે 8 કલાકે, પાલખીયાત્રા સવારે 9 કલાકે અને બપોરે 12 કલાકે મહાપ્રસાદીનો કાર્યક્રમ ભક્તો માટે આયોજિત થયો છે. શિવરાત્રી નિમિત્તે રાત્રે 9 વાગ્યે મંદિરના પટાંગણમાં મહાઆરતી, મધરાતે 12 કલાકે મહાપૂજા અને રાત્રે 2.30 કલાકથી મહાશિવરાત્રીના દર્શન માટે ભવ્ય શણગારની શરૂઆત થશે.