બાગેશ્વર ધામના સરકારથી વિશ્વવિખ્યાત કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત પધારી રહ્યા છે. 26 મેથી 2 જૂન દરમિયાનના ગુજરાત પ્રવાસમાં સુરત ઉપરાંત અમદાવાદ અને રાજકોટમાં તેમનો દિવ્ય દરબાર સજાવાશે. બાબા બાગેશ્વરના પ્રવાસની શરૂઆત સુરતથી થશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ માટે ત્રણેય શહેરોમાં તડામાર તૈયારીઓ થઇ રહી છે.
કાર્યક્રમ અંગે જણાવી દઈએ કે, 26 મેથી 2 જૂન સુધી બાગેશ્વર ધામ સરકાર ગુજરાતમાં કથાવાર્તા સાથે દિવ્ય દરબાર યોજશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસની સુરતથી શરૂઆત થશે. સુરતમાં 26 અને 27 મે એમ બે દિવસ દિવ્ય દરબાર ભરાશે.
સુરતમાં કથાવાર્તા અને દિવ્ય દરબાર ઉપરાંત એક અતિભવ્ય રોડ શોનું પણ આયોજન ગોઠવાઈ રહ્યું છે, જોકે તેના રૂટ અંગે હાલ કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. સુરત બાદ 29 મેએ તો અમદાવાદ પહોંચશે અને ત્યારબાદ 1 જૂને રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ભરાશે.