ભારતના શ્રેષ્ઠ અભિનેતાઓમાં સામેલ આર્ટ ફિલ્મોના દિગ્ગજ અભિનેતા અમોલ પારેકરની તબિયત ખરાબ થતાં તેમને પૂણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 1970 અને 80ના દાયકામાં સમાનાંતર અને અર્થપૂર્ણ સિનેમાના અભિનેતા તરીકે પોતાની વિશેષ છબી ઉભી કરનારા અમોલ પારેકરનો મોટો ચાહક વર્ગ છે. તેમના પત્ની સંધ્યા ગોખલેએ જણાવ્યું કે, અભિનેતાની તબિયતને લઈને ચિંતા કરવાની જરુર નથી, હવે તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે.
મીડિયા સાથે વાત કરતાં સંધ્યા ગોખલેએ એમની બીમારી બાબતે કોઈ ખુલાસો કર્યો નથી. તેમણે જણાવ્યું કે એક જૂની બીમારીને લીધે એકટરને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી, પરંતુ હવે તેઓ સ્વસ્થ છે.
read more: વ્યાજ દર યથાવત, રેપો રેટમાં કોઇ ફેરફાર નહીં
અમોલ પારેકરે ૭૦ અને ૮૦ના દાયકામાં ‘રજનીગંધા, છોટી સી બાત, નરમ ગરમ, ગોલમાલ, ચિતચોર, ભૂમિકા, શ્રીમાન શ્રીમતી, અનકહી, રંગ-બિરંગી, ઘરોંદા, સાવન, બાતોં બાતો મેં’ જેવી ફિલ્મોમાં કામ કરીને મધ્યમવર્ગના નાયક તરીકે પોતાની એક અલગ છબી ઉભી કરી હતી.
૭૭ વર્ષીય અમોલ પારેકરે ‘બાજીરાવ બેટા’ (૧૯૬૯) મરાઠી ફિલ્મ ‘શાંતતા! કોર્ટ ચાલુ આહે’ (૧૯૭૧) જેવી ફિલ્મોથી પોતાની કારકિર્દીની શરુઆત કરી હતી. તેઓ હિંદી અને મરાઠી ફિલ્મોના અભિનેતા સિવાય જાણીતાં સ્ટેજ કલાકાર, પ્રોડ્યુસર અને દિગ્દર્શક પણ છે. તેમણે ૨૦૦૫માં આવેલી ફિલ્મ ‘પહેલી’ને ડાયરેકશન આપ્યું હતું.